આપણા જીવનમાં કોરોના કાળમાં આવેલાં અમુક શબ્દો જે નકારાત્મકતા ફેલાવે છે તેના સકારાત્મક અર્થ :-
કોરોના કાળમાં અને તેના પછી આપણા જીવનમાં ઘણા બધા શબ્દો પ્રચલિત થયા છે,જે શબ્દો એ આપણાં મગજ પર ઘણી નકારાત્મક અસર કરી છે. કોરોનાં માં પરિસ્થિતિ ખુબ ગંભીર બની હતી અને એ જેમ પરિસ્થિતિ સર્જાતી તેમ તેને તે સંદર્ભે નામ થી કહેવાતી પરંતુ તે બધા નામો જે સાંભળતા બોલતા અને રોજિંદી જિંદગીમાં તથા પોતાના સ્નેહીજનો માટે વપરાશમાં લેવામાં ખુબ મુશ્કેલી તથી એમ થાય કે આપણા પોતાના માટે આ શબ્દ નો પ્રયોગ પણ કેમ કરી થાય પણ તે શબ્દો નો ઉપયોગ કર્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. કોરોના ના સમયગાળામાં જેમ જેમ પરિસ્થીતી કપરી બનતી જતી તેમ તેમ આપણી ચિંતા વધતી જતી. છાપાઓ માં રોજ સવારે ઉઠીને કોરોનાં પેશન્ટનાં આંક અને મૃત્યું આંક અને વાંચી હૃદય હચમચી જતું. એમાંય સેકેન્ડ વે માં તથા થર્ડ વે મૃત્યુ આંક વાંચી શરીરમાં કંપારી છૂટી જતી. આરોગ્ય ખાતા માં દર્દીઓનું ઘોડાપુર ઊમટતું. સ્મશાન માં ગણતરી ન કરી શકાય એટલી લાશો સળગતી.
NICE:)
ReplyDelete